ભરૂચ : જિલ્લામાં પ્રદુષણથી 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન, કોંગ્રેસે કહયું ખેડુતોને રાહત પેકેજ આપો...

કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ

New Update
ભરૂચ : જિલ્લામાં પ્રદુષણથી 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન, કોંગ્રેસે કહયું ખેડુતોને રાહત પેકેજ આપો...

કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ છે ત્યારે રવિવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પગુથણમાં અસરગ્રસ્ત ખેડુતો સાથે બેઠક યોજી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં કપાસની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. આ ત્રણેય તાલુકાની આસપાસ આવેલા ઉદ્યોગોમાંથી છોડવામાં આવતાં ગેસના કારણે પ્રદુષણની માત્રામાં વધારો થયો છે. પ્રદુષણના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકશાન જોવા મળી રહયું છે. જે ફુલમાંથી કપાસ ઉગે છે તે ફુલ કરમાય ગયાં છે. ખેડુતો પોતાના ખેતરમાં વાવેતર કરેલાં કપાસના છોડવાઓ તોડી નાંખવા મજબુર બની ગયાં છે. એક અંદાજ મુજબ ભરૂચ જિલ્લામાં જ 70 હજાર હેકટરથી વધારે જમીનમાં વાવેતર કરાયેલાં ખેતીના પાકનો પ્રદુષણે દાટ વાળી દીધો છે. પોષણક્ષમ ભાવો નહી મળવાથી લાચાર બનેલા ખેડુતો પ્રદુષણથી બરબાદ થઇ ગયાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ રવિવારના રોજ પગુથણ ગામે આવેલાં ફાર્મ હાઉસમાં અસરગ્રસ્ત ખેડુતો સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખેડુતો સાથેની બેઠક બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારે જવાબદાર ઉદ્યોગો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ અને બરબાદ થયેલા ખેડુતો માટે રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.