ભરૂચ: અંકલેશ્વરમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર તાલુકાની વિવિધ શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના ઘણા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી ત્યારે આજરોજ પ્રાથમિક શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારની સેવામાં તારીખ 1 /4/ 2005 પહેલા જોડાયેલા શિક્ષકો કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પડે અને ત્યારબાદ સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ પડે છે આ બાબતે અન્યાય થઈ રહ્યા નો આક્ષેપ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા.

વિભાગના તારીખ 4/ 4/ 2011 ના પરિપત્રો અને સૂચનાઓ ને પણ તમામ વિભાગોના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ વિભાગના અધિકારીઓ છાશવારે પ્રાથમિક શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોપાતી હોવાથી બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ તમામ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.