Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તુલસીધામ વિસ્તારમાં ફરતી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર 2 નરાધમ યુવકોની ધરપકડ...

X

ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં ફરતી સાડા પંદર વર્ષની સગીરાને પટાવી ફોસલાવી 2 યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે આ મામલે સગીરાના પિતાએ સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના સમયમાં જ બન્ને યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના એક ગામમાં સાડા પંદર વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. આ સગીરાને તેના ગામમાં મજૂરી કામ અર્થે આવેલા અલ્કેશ નામના યુવક સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયો હતો. આ વાતની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે અલ્કેશને બોલાવી સમજાવતા તે યુવક ત્યાંથી જતો રહ્યો હતો.

જોકે, તેના પ્રેમમાં પાગલ બનેલી સગીરાએ તેને શોધવા 4 દિવસ પહેલા ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવી પહોંચી હતી. તે આ વિસ્તારમાં અલ્કેશને શોધતી હતી, તે દરમિયાન 2 હવસખોરોએ તેને પટાવી અમે અલ્કેશને ઓળખીએ છીએ, અને અમારી સાથે ચાલ તને મળાવીએ કહીને તેને બાઈક પર બેસાડી મકતમપુર વિસ્તારમાં આવેલા કાચા ઝૂંપડામાં લઈ જઈ એક યુવકે તેનું મોઢું દબાવીને બીજા યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જેની તમામ હકીકત સગીરાએ તેના પરિવારજનોએ કરતા તેઓએ તાત્કાલિક સી’ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ આપી હતી. આ બનાવમાં સી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફના માણસોએ ગુનાની ગંભીરતા જાણી પોલીસે અનિલ ભુરિયા અને વિજય વસુનિયા નામના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story