ભરૂચ: રાજસ્થાનમાં વિદ્યાર્થીની હત્યાના બનાવમાં શિક્ષકને ફાંસીની માંગ સાથે સ્વયં સૈનિકદળ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
માસૂમ બાળકે તે જ શાળાના શિક્ષકના વાસણમાંથી પાણી પીધું હોવાથી તેને માર માર્યો હતો.
BY Connect Gujarat Desk23 Aug 2022 11:35 AM GMT
X
Connect Gujarat Desk23 Aug 2022 11:35 AM GMT
"સ્વયમ સૈનિક દળ" દ્વારા ભરુચ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમા જણાવાયુ છે કે સરસ્વતી વિદ્યાલયમાં એસ.સી.ઇન્દ્ર મેઘવાલની માસૂમ બાળકે તે જ શાળાના શિક્ષકના વાસણમાંથી પાણી પીધું હોવાથી તેને માર માર્યો હતો.એ માસૂમ બાળકને એટલો માર્યો કે તે હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યો હતો.દેશ આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે,આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં અસ્પૃશ્યતાની આ ઘટના અમાનવીય છે,અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારની તમામ ઘટનાઓ માનવતાને શરમાવે તેવી છે, જો આવું જ ચાલતું રહ્યું તો શું થશે? રાજસ્થાનમાં ભલે કોઈ પણ સરકાર હોય,પરંતુ દેશભરમાં અનુસૂચિત જાતિઓ પર અત્યાચાર વધી રહ્યા છે એવા આક્ષેપ સાથે શિક્ષકને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
Next Story