Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયાના સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ થયો ધરાશાયી, મોટી જાનહાનિ ટળી...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થતાં કચેરીને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.

ભરૂચ : ઝઘડિયાના સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ થયો ધરાશાયી, મોટી જાનહાનિ ટળી...
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થતાં કચેરીને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.

ભરૂચ જીલ્લા સહીત ઝઘડીયા તાલુકામાં 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ભેજવાળું વાતાવરણ સર્જાતા વર્ષો જૂની ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. રાત્રિના સમયે આ સ્લેબ ધરાશયી થવાની ઘટના બનતા મોટી જાનહાની ટળી હતી. જોકે, પંચાયતમાં કચેરીમાં કામ અર્થે આવતા અન્ય લોકોને કોઈ જાનહાની ન થાય તે માટે પંચાયત કચેરીને ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે સ્થાળાંતર કરવાની ફરજ પડી હતી. જોકે, હાલ પૂરતું ગ્રામ પંચાયત કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.

Next Story