ભાવનગર : છરીની અણીએ આધેડ પાસેથી રૂ. 1.90 લાખની લૂંટ, 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ

New Update
ભાવનગર : છરીની અણીએ આધેડ પાસેથી રૂ. 1.90 લાખની લૂંટ, 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે રહેતા આધેડને રિક્ષામાં પેસેંજર તરીકે બેસાડી 2 શખ્સો અકવાડા નજીક માર મારી છરીની

અણીએ રૂ. 1.90 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ભાવનગરના ત્રાપજ ગામે રહેતા પરાક્રમસિંહ ગોહિલ પેસેંજર તરીકે રિક્ષામાં બેસી જતાં હતા. તે દરમ્યાન અજાણ્યા રિક્ષાચાલકે તેના સાગરીત સાથે મળી અકવાડા નજીક આધેડને ઢીકાપાટુનો માર મારી છરીની અણીએ રૂ. 1.90 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે અંગે પરાક્રમસિંહ ગોહિલ દ્વારા પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષાચાલક તેમજ અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, ફરિયાદી પરાક્રમસિંહ ગોહિલ તેમના સબંધી પાસેથી રૂ. 5 લાખ મેળવી, તેમાંથી 3 લાખ આંગડિયા પેઢીમાં જમા કરવી બાકીની રકમ લઇ પોતાના ગામ ત્રાપજ જતાં હતા. તે વેળાએ રિક્ષાચાલકે તેઓને લૂંટી લેવાનો કારસો ઘડી આનંદનગરમાં રહેતા તેના સાગરીતને ફોન કરી બોલાવ્યો હતો. ત્યાર બાદ રિક્ષાચાલક અને તેના સાગરીત દ્વારા અકવાડા સીમમાં લઇ જઇ પરાક્રમસિંહ ગોહિલને માર મારી છરી બતાવી રોકડ રૂ. 1.90 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવના પગલે ઘોઘારોડ પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુન્હો કરી તપાસ હાથ ધરી હતી. ગત રાત્રીના સમયે રિક્ષાની ઓળખ થતા રિક્ષાચાલક નવાપરામાં રહેતો મહંમદ સૈયદ અને આનંદનગર વિસ્તારમાં રહેતો સદામ ઉર્ફે કાળીયો સતાર શાહને ઝડપી પાડી રીક્ષા જપ્ત કરી હતી. ઘોઘારોડ પોલીસે બન્ને શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બન્નેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.