Connect Gujarat
ગુજરાત

પપ્પા-મમ્મી તમે આટલા નિષ્ઠુર કેમ?

પપ્પા-મમ્મી તમે આટલા નિષ્ઠુર કેમ?
X

ભિલોડાના ભેટાલી ગામના સ્મશાન નજીક ત્યજી દેવાયેલું મૃત બાળક મળ્યું

માનવજાત સંતાન પ્રાપ્તિ માટે પથ્થર અને દેવી દેવતા અને મસ્જિદોમાં માથા ટેકતી હોય છે તેમાંય મહિલાને સૌથી વધુ ખુશી પ્રાપ્ત થાય છે જ્યારેએની જિંદગીમાં તે માતૃત્વ ધારણ કરે છે જોકે કેટલાક નિષ્ઠુર માતા-પિતા તેમના બાળકોને ત્યજી દેતા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામની સીમમાંથી ત્યજી દેવાયેલ મૃત બાળકી મળી આવતા ચકચાર મચી હતી. મૃત બાળકીને તરછોડનાર સામે લોકોએ ફિટકાર વરસાવી હતી.

'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનના ધજાગરા ઉડાડતી આ ઘટના ભિલોડાના ભેટાલી અને જેશીંગ પૂર ગામની સીમમાં બની છે. અહીં સ્મશાન પાસેથી ત્યજી દેવાયેલી મૃત બાળકીનો મૃતદેહ પડ્યો હોવાની નજીકમાં આવેલા ખેતર માલિકને ધ્યાને આવતા મૃતક બાળકીનો મૃતદેહ પડ્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ખેતર માલિકે ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકીની લાશને પીએમ માટે ખસેડી બાળકીને મૃત હાલતમાં છોડી દેનાર પરિવારજનોની શોધખોળ હાથધરી હતી.

ત્યારે આ માસુમની આત્મા જાણે લોકોને સવાલ પુછી રહી હતી કે મારા મમ્મી પપ્પા આટલા નિષ્ઠુર કેમ..?

Next Story