Connect Gujarat
Featured

બિહાર : તેજસ્વીએ સીએમ નીતિશને પડકાર્યા – 15 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિ પર કરે ડિબેટ!

બિહાર : તેજસ્વીએ સીએમ નીતિશને પડકાર્યા – 15 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિ પર કરે ડિબેટ!
X

તેજસ્વીએ સોમવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે હું નીતિશ કુમારને ખુલ્લેઆમ પડકાર ફેંકું છું જ્યાં અને જ્યારે તેઓ ઇચ્છે મારા સાથે કોઈ પણ મુદ્દે ચર્ચા કરે. હું ઈચ્છું છું કે હું અને તે મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ડિબ્રીટ કરે. નિતિશ કુમાર 15 વર્ષના શાસનની ઉપલબ્ધિ પર ચર્ચા કરે.

રાજ્યમાં ચુંટણીની હલચલ વચ્ચે વિપક્ષી નેતા તેજસ્વી યાદવે ફરી એકવાર પ્રાંતના નેતા નીતીશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે સીએમ નીતીશ કુમારને પડકાર ફેંક્યો છે કે 15 વર્ષ સુધી જે પણ કામ કર્યું છે, તેમની સાથે ચર્ચા કરવી જોઈએ. તેજસ્વીએ એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન પર પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે નીતીશ કુમારે તેમની સાથે ખોટું કર્યું છે.

કોઈ પણ મુદ્દા પર ચર્ચા

તેજસ્વીએ સોમવારે મીડિયાની વાતચીત દરમિયાન કહ્યું હતું કે હું નીતિશ કુમારને ખુલ્લેઆમ પડકાર ફેંકું છું જ્યારે તેઓ ઇચ્છે જ્યાં ઈચ્છે મારા સાથે ડિબેટ કરે. હું ઇચ્છું છું કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે હું અને તેઓ ડિબેટ કરીએ. આ માટે હું વિનમ્રપૂર્વક નીતિશજીને વિનંતી કરું છું કે મારો પડકાર સ્વીકારે.

નવી પરંપરા શરૂ થવી જોઈએ

તેજસ્વીએ કહ્યું કે નીતિશ કુમાર તેમના પંદર વર્ષના કાર્યકાળની કોઈ પણ એક સિદ્ધિ અંગે ચર્ચા કરે. હું કહીશ કે નવી પરંપરા શરૂ થવી જોઈએ, જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડિબેટ કરી શકે. આરજેડીની જાહેર સભાઓમાં હજારો લોકોની હાજરી અંગે તેમણે કહ્યું કે, લોકો નીતીશ કુમાર વિશે ગુસ્સે છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

નીતિશ કુમારે ચિરાગ સાથે સારું નથી કર્યું

એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન અંગે તેમણે કહ્યું કે નીતિશ કુમારે ચિરાગ પાસવાન સાથે સારું પ્રદર્શન કર્યું નથી. આજે જ્યારે ચિરાગ પાસવાન જીને તેમના પિતાની સૌથી વધુ જરૂર હતી, તે સમયે તેમના પિતા તેમની સાથે નથી. અમને ખુબ દુખ છે કે રામવિલાસ પાસવાન જી આજે અમારી સાથે નથી. પરંતુ નીતિશ તેની ગેરહાજરીમાં જે વર્તન કરે છે તે ખોટું છે.

Next Story