ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી

New Update
bhupendra patel sangamghat

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે તારીખ 7 ફેબ્રુઆરી 2025 રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ અરેલ ઘાટથી નૌકા માર્ગે સંગમ પહોંચ્યા હતા. જ્યાં સંગમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર સ્નાન કર્યું હતું.  ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું.

CM bh Prayagraj

મહાકુંભની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ નથી આવી રહીકોઈને તકલીફ નથી આવી રહી.સફાઈથી લઈને તમામ વસ્તુ ખૂબ સુંદર છે. મને સ્નાન કરવાનો મોકો મળ્યોખુદને ધન્ય અનુભવું છું. આસ્થાના કેન્દ્ર ત્રિવેણી સંગમમાં સૌ લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.સૌ માટે સુખ માગ્યું છે.

Prayagraj mahakumbh

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં બડે હનુમાનજીના દર્શન કર્યા હતા. જેની તસવીરો શેર કરતા મુખ્યમંત્રીએ 'X' પર લખ્યું કેપ્રસિદ્ધ યાત્રાધામ તીર્થરાજ પ્રયાગની ભૂમિ ઉપર બડે હનુમાનજીના દર્શન તથા પૂજનનું સદભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યની સર્વાંગી ઉન્નતિ અને સમૃદ્ધિ હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી.

Read the Next Article

ભરૂચ-અંકલેશ્વરમાં વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

New Update
  • આજે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

  • ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાય

  • સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યુ

  • વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી પૂજા

  • પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી  શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે
આ તરફ અંકલેશ્વરમાં પણ વટસાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં  સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને   પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.અંકલેશ્વરમાં રત્નેશ્વર ,અંતરનાથ ,માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડીયાર માતાજીના મંદિર સહિતના  સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.