Connect Gujarat
Featured

દ્વારકા : દ્રારકાધીશ મંદિર ખાતે અચાનક વધારવામાં આવી સુરક્ષા, જાણો શું છે કારણ

દ્વારકા : દ્રારકાધીશ મંદિર ખાતે અચાનક વધારવામાં આવી સુરક્ષા, જાણો શું છે કારણ
X

દેવભૂમિ દ્વારકાનું જગત મંદિરને હવે ડીવાયએસપી કક્ષાના અધિકારી સુપરવિઝન કરશે. મંદિરની સુરક્ષા માટે ગુજરાત સરકારે મહેકમ વધારી ડીવાયએસપી કક્ષાના અધિકારી અને એક પીઆઇ અને બે પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે…

દ્વારકાના જગત મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મંદિરની સુરક્ષા માટે મહેકમ વધારવામાં આવ્યું જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી સુપરવિઝન કરશે અને સાથે જ એક પીઆઇ અને બે પીએસઆઇ પણ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાંભળશે તેમજ પોલીસ કર્મીઓ પણ તૈનાત રહેશે દ્વારકાનું જગત મંદિર પાકિસ્તાનના અને આતંકીઓના હિટ લિસ્ટ માં પણ રહી ચૂક્યું છે અને દ્વારકાધીશ મંદિર ને ટાર્ગેટ પણ કરાઈ ચૂક્યું છે ત્યારે હાલ દ્વારકા ના જગત મંદિર ની સુરક્ષા વ્યવસ્થા પીએસઆઇ કક્ષાના અધિકારી સમભાળતા હત પરંતુ હવે ડીવાયએસપી કક્ષાના અધિકારી સુપરવિઝન કરશે જેથી સુરક્ષામાં અનેક ગણો વધારો થશે.

Next Story