New Update
બાળકોના અભ્યાસ પર પડી હીરા મંદીની અસર
603 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો
50 ટકા થી વધુ હીરાના એકમો થયા બંધ
રત્નકલાકારો બન્યા બેરોજગાર
ન.પ્રા.શિ.સમિતિ શાળાના અધિકારીની પ્રતિક્રિયા
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં નોંધાયેલા હીરાના રત્નકલાકારોના આશરે 603 બાળકોએ તેમનો અભ્યાસ બંધ કરી દીધો છે. આ બાળકોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પણ લઈ લીધી છે.
સુરત શહેરમાં વૈશ્વિક સ્તરે દર 100માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે. જોકે, યુક્રેન અને રશિયા તેમજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હીરા ક્ષેત્રે મંદી થઈ રહી છે. દિવાળીનું વેકેશન લાંબુ ખેંચાયું છે.
મોટાભાગના હીરાના કારખાનાઓ વેકેશન બાદ ખુલ્યા નથી. વર્તમાન મંદીએ અસંખ્ય હીરાના રત્નકલાકારોની આજીવિકા પર નોંધપાત્ર અસર કરી છે.જેના કારણે 603થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડવી પડી હોવાનું કહેવાય છે.
જ્યારે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના અધિકારી પ્રાગજી કોરાટે જણાવ્યું હતું કે સરકારી શાળામાં બાળકોનો અભ્યાસ નિઃશુલ્ક થાય છે,અને ઘણા લોકો ભાડેથી રહેતા હોવાથી ઘર કે વિસ્તાર બદલાય ત્યારે પણ બાળકોની શાળા બદલવાની ફરજ પડતી હોય છે.
જ્યારે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના અધિકારી પ્રાગજી કોરાટે જણાવ્યું હતું કે સરકારી શાળામાં બાળકોનો અભ્યાસ નિઃશુલ્ક થાય છે,અને ઘણા લોકો ભાડેથી રહેતા હોવાથી ઘર કે વિસ્તાર બદલાય ત્યારે પણ બાળકોની શાળા બદલવાની ફરજ પડતી હોય છે.
Latest Stories