બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માત્ર ભૂરા રંગની પેનનો જ કરી શકશે ઉપયોગ, જવાબવહીમાં ધાર્મિક નિશાની પણ કરી શકાય નહીં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.

New Update
a

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.

Advertisment

ત્યારે દ્વારા પરીક્ષાર્થીઓ માટે કેટલીક સુચનાઓ જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રશ્નપત્ર અને ઉત્તરવહીમાં ભૂરા રંગની બોલપેન સિવાય કોઇ રંગની શાહીનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવાઈ છે. સાથે જવાબવહી કે પૂરવણીમાં ધાર્મિક નિશાની પણ નહીં કરવાની બોર્ડ દ્વારા સ્પષ્ટ તાકીદ કરાઈ છે.

જાણવા મળ્યા મુજબ બોર્ડ દ્વારા આ સંબંધે વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવાયું છેકે ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરનારા પરીક્ષાર્થી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાર્થીઓએ જવાબવહીમાં કોઈ પણ પાના ઉપર પોતાની ઓળખ પ્રગટ થાય તેવા નંબર કે નિશાન કરવાના નથી.સાથે જ દેવીદેવતાના નામ કે કોઈ પણ ધાર્મિક ચિન્હો જેવા કોઈપણ લખાણ કરવાના નથી.

આ ઉપરાંત કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી મતલબ કે ભૂરા રંગની શાહીબોલપેન સિવાય અન્ય કોઈ રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી.જવાબના મથાળા કે પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી.વધુમાં જણાવ્યું કે જવાબવહીમાં પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવાનું છે. વિભાગવાર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. વિભાગ બદલાય એટલે નવા પાના પરથી જવાબ શરૂ કરવાના છે.

નવો પ્રશ્ન નવા પાના પરથી શરૂ કરવાનો છે. વચ્ચે કોરું પાનું છોડવાનું નથી.પેપર પૂર્ણ થયા પછી બાકી રહેલા કોરા પાના પર ઉભી લીટી દોરવાની રહેશે.આ વિગતોમાં અપૂર્તતા માટે પરીક્ષાર્થી ઉપરાંત ખંડ નિરીક્ષક પણ જવાબદાર રહેશે.

Advertisment
Latest Stories