આમિર ખાનના બીજી વાર છૂટાછેડા, કિરણ રાવ સાથે છૂટા થવાનો નિર્ણય કર્યો
BY Connect Gujarat3 July 2021 6:38 AM GMT
X
Connect Gujarat3 July 2021 6:38 AM GMT
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થઈ રહ્યા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે, તેવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે ખરું.
આમિર ખાન અને કિરણ રાવે 28 ડિસેમ્બર, 2005ના રોજ લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન બંનેને એક પુત્ર આઝાદ પણ છે.તે પહેલાં આમિર ખાને રીના દત્તા સાથે 18 એપ્રિલ, 1986ના રોજ લગ્ન કર્યાં હતાં. તે લગ્નથી તેમને દીકરો જુનૈદ અને દીકરી ઇરા છે. બંનેએ 2002માં ડિવોર્સ લીધા હતા.બન્નેએ એક જોઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યુ છે કે "અમે જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ - હવે પતિ-પત્ની તરીકે નહીં, પણ કો-પેરેન્ટ્સ તરીકે રહીશું
Next Story