Connect Gujarat
મનોરંજન 

અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષે લીધો અલગ થવાનો નિર્ણય, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક તલાક

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષે લીધો અલગ થવાનો નિર્ણય, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક તલાક
X

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા કાયમ માટે અલગ થઈ રહ્યા છે અને આ અંગે ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી છે. બંનેએ એક-એક નોટ શેર કરી છે, જેમાં લગભગ સમાન વસ્તુઓ લખવામાં આવી છે.

ટ્વીટર પર તેની નોંધ શેર કરતા ધનુષે લખ્યું, '18 વર્ષ એક મિત્ર તરીકે, એક દંપતી તરીકે, માતાપિતા તરીકે અને એકબીજાના શુભચિંતક તરીકે સાથે રહ્યા. તે સમજણ, વૃદ્ધિ, ગોઠવણ અને અનુકૂલનની સફર રહી છે. આજે આપણે એવા સ્થાને ઉભા છીએ જ્યાં આપણા રસ્તા અલગ છે. ઐશ્વર્યા અને મેં એક દંપતી તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને પોતાને વધુ સારી રીતે સમજવા માટે સમય કાઢ્યો છે. અમારા નિર્ણયનો આદર કરો અને તેની સાથે વ્યવહાર કરવા માટે અમને જરૂરી ગોપનીયતા આપો. ઓમ નમઃ શિવાય!' આ નોટની સાથે ધનુષે હાથ મિલાવવાનું ઈમોજી પણ મૂક્યું છે. ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ અભિનેતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. જ્યારે ધનુષે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 23 વર્ષનો હતો. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2003માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. ધનુષ અને ઐશ્વર્યાને યત્ર અને લિંગા નામના બે બાળકો છે.

Next Story