જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે થયું નિધન
જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું છે. મુંબઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું
BY Connect Gujarat Desk18 July 2022 5:25 PM GMT
X
Connect Gujarat Desk18 July 2022 5:25 PM GMT
જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું છે. મુંબઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેની પત્ની મિતાલી સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
ભૂપિન્દર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાથે કેટલાક લોકપ્રિય યુગલ ગીતો ગાયા છે. ભૂપિન્દર સિંહને 'મૌસમ', 'સત્તે પે સત્તા', 'આહિસ્તા આહિસ્તા', 'દૂરિયાં', 'હકીકત' અને બીજી ઘણી ફિલ્મોમાં તેમના યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે.
તેમના કેટલાક પ્રખ્યાત ગીતો છે 'હોકે મજબૂર મુઝે, ઉસે બુલાયા હોગા', (મોહમ્મદ રફી, તલત મહેમૂદ અને મન્ના ડે સાથે), 'દિલ ઢૂંઢતા હૈ', 'દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા', ( ઘણા ગાયકો) અન્યા ઘણા છે.
Next Story