ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી ઝરીના રોશન ખાનનુ 54 વર્ષની વયે નિધન
BY Connect Gujarat19 Oct 2020 4:44 AM GMT
X
Connect Gujarat19 Oct 2020 4:44 AM GMT
ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી ઝરીના રોશન ખાનનુ 54 વર્ષની વયે નિધન થયું છે. ઝરીના રોશન ખાન કુમકુમ ભાગ્યમાં પોતાનો દમદાર અભિનય આપી ચૂકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટીવી અભિનેત્રીનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયુ હોવાનુ કહેવાઇ રહ્યું છે. અભિનેત્રીએ કુમકુમ ભાગ્ય ટીવી સીરિયલમાં પ્યારી ઇન્દુ દાદીની ભૂમિકાથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી મોટી સિરિયલમાં દેખાઈ ચૂકી છે.
ટીવી એક્ટ્રેસ ઝરીના રોશન ખાન 54 હતા. તેમની એક્ટિંગ કરિયરમાં ઝરીના ઘણી મોટી ફિલ્મો અને સીરિયલ્સનો ભાગ રહી ચુક્યા છે. કુમકુમ ભાગ્યમાં તે ઇંદુ દાસીના પાત્રમાં નજરે પડ્યા હતા. ઝરીના રોશન ખાનના મૃત્યુના સમાચાર પછી, શોના મુખ્ય અભિનેતા શબીર આહલુવાલિયા અને શ્રીતિ ઝા સહિતના અનેક સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
.
Next Story