ભરૂચ જિલ્લામાં 69મા વન મહોત્સવનો આજરોજ અંકલેશ્વરથી થયો પ્રારંભ

New Update
ભરૂચ જિલ્લામાં 69મા વન મહોત્સવનો આજરોજ અંકલેશ્વરથી થયો પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા સાડા છ દાયકાઓથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે

રાજ્યભરમાં આજથી 69માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેથી ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમના અધ્યક્ષ મહેબુઅલીના અધ્યપણા હેઠળ કરવામાં આવ્યો હતો. આજથી દરેક તાલુકામાં ૧૫ મી ઓગષ્ટ સુધી તમામ ગામોમાં વૃક્ષ રથની સાથે રોપા વિતરણ કરવામાં આવશે.

આ તબક્કે કાર્યક્રમનાં અધ્યક્ષ મહેબુઅલીએ જણાવ્યું હતું કે, વન મહોત્સવ એ પર્યાવરણીય મહોત્સવ છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા સાડા છ દાયકાઓથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેથી વૃક્ષો ઉછેરવમાં લોકો ઉત્સાહભેર ભાગ લે તે જરૂરી છે. આ તબક્કે તેમણે વધુમાં જમાવ્યું હતું કે, પશ્ચિમિ સંસ્કૃતિનાં પ્રભાવને કારણે આપણે પ્રકૃતિ અને વનસ્પતિનો બેફામ ઉપયોગ કરીએ છીએ. જેના થકી પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ ઈફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ ઉદભવી રહી છે. જેના કારણે તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સામાજીક વનીકરણ વિભાગ ધ્વારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને નોટીફાઇડ એરીયા ઓથોરિટી, અંકલેશ્વરના સહયોગથી જીઆઇડીસી સ્થિત ઉદ્યોગ મંડળની ઓફિસનાં સાંસ્કૃતિક હોલમાં યોજાયો હતો. તો વર્ષ 2018-19 ને ગ્રીન ગુજરાતનું સૂત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષારોપણ કાર્યક્રમની સફળતા માટે રાજયના તમામ નાગરિકોને અપીલ કરી છે.

આ કાર્યક્રમમાં ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમના અધ્યક્ષ મહેબુઅલી, ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, સામાજીક વનીકરણ વિભાગનાં એ.પી. સિંઘ, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, ભરૂચનાં ધારાસભ્ય, અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ સહિત નોટીફાઈડ વિભાગનાં હોદ્દેદારો, સ્થાનિક અદિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories