Connect Gujarat
ગુજરાત

“શુભેચ્છા સંદેશ” : રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવાઈ

“શુભેચ્છા સંદેશ” : રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવાઈ
X

રાજ્યસભાના સાંસદ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અહેમદ પટેલ દ્વારા રમઝાન ઈદ નિમિતે જનતાને શુભેચ્છા પાઠવાઇ છે, તો સાથે જ કોરોના વાઇરસની મહામારીમાંથી સમગ્ર દેશને મુક્તિ મળે તેવી દુઆ પણ ગુજારી છે.

રમઝાન ઈદની શુભેચ્છા પાઠવતા અહેમદ પટેલે જણાવ્યુ હતું કે, સમગ્ર રમઝાન માસ દરમ્યાન કરવામાં આવેલા રોઝા-ઈબાદતને અલ્લાહ તાલા કબુલ કરે તેમજ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને દેશમાં જે કોરોના વાઇરસની મહામારી ફેલાઈ રહી છે, ત્યારે ખુશીના આ પર્વમાં લોકોને તેનાથી અલ્લાહ તાલા મુક્તિ આપે તે માટે પણ દુઆ કરવા માટે સર્વે દેશવાસીઓને અપીલ કરી છે. આપણો દેશ કોરોનાના સંકટમાંથી મુક્ત થાય અને તમામ દેશવાસીઓ ફરી એકવાર પોતાનું સામાન્ય જીવન પૂર્વવત્ત્ જીવતા થાય તેવી જ આ પાક પર્વ નિમિત્તે દુઆ કરું છું. વધુમાં તેમણે તમામ દેશવાસીઓને એક થઈને આ સંકટ સામનો કરવા માટે પણ અપીલ કરી છે.

Next Story