Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં અહીં છે એકમાત્ર ક્ષિપ્રા ગણેશ, જાણો તેનું વિશેષ મહત્વ

ગુજરાતમાં અહીં છે એકમાત્ર ક્ષિપ્રા ગણેશ, જાણો તેનું વિશેષ મહત્વ
X

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે આવેલું છે મંદિર

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડમાં ક્ષિપ્રા ગણેશ મંદિર આવેલું છે. સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે.

દરેક કાર્યમાં પ્રથમ પૂજાતા દેવ એવા ગણેશજીના સમગ્ર ભારત ભરમાંમાં અનેક મંદિરો આવેલા છે. પરંતુ અંકલેશ્વરના પોરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમાં આવેલા ક્ષિપ્રા ગણેશજીનું મંદિર સવિશેષ છે.

આમ તો સમગ્ર ભારતમાં ક્ષિપ્રા ગણેશજીના કુલ નવ મંદિરો આવેલા છે. પરંતુ ગુજરાતના એક માત્ર ક્ષિપ્રા ગણેશ અંકલેશ્વરમાં બિરાજમાન છે. ક્ષિપ્રા એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે તુરંત જ ફળ આપનાર. આ ગણેશજી ભક્તોની મનોકામના તુરંત જ પૂર્ણ કરતા હોવાની ધાર્મિક માન્યતા રહેલી છે.

આ પ્રતિમાની વિશેષતા એ છે કે ગણેશજીને જમણી તરફ સુંઢ છે જે અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. અન્ય દેવાલયોમાં ગણેશજીને ડાબી તરફ સુંઢ હોય છે, ભગવાન ગણેશજીના ચાર હાથમાં અલગ અલગ વસ્તુઓ છે જેનું પણ ઘણું ધાર્મિક મહત્વ છે. એક હાથમાં લાડુ છે જે મીઠાશ આપે છે. બીજા હાથમાં કલ્પવ્રુક્ષ છે જે જીવન કલ્પવ્રુક્ષ સમાન બનાવવા શીખ આપે છે. ત્રીજા હાથમાં ગદા છે જે દંડનું પ્રતિક છેઅંકલેશ્વરનું ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે.

અહી દરેક મંગળવારે ભક્તોનો ધસારો જોવા મળે છે અને સવાર તેમજ સાંજના સમયે થતી મહાઆરતીમાં મોટી સંખ્યમાં ભક્તો જોડાઈ છે તો દર અંગારકી ચોથ અને ગણેશ ચર્તુરથી નિમિત્તે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ છે જેનો લાભ લઇ ભક્તો ધન્યતા અનુભવે છે.દુંદાળાદેવ ભક્તોની તમા મનોકામના પૂર્ણ કરતા હોવાની અહી માન્યતા છે. ભક્તો અહી આવી માનસિક શાંતિનો અનુભવ કરે છે. ૩૨ લક્ષણા ગણેશજી પેકી ૧૦મુ સ્વરૂપ એટેલે ક્ષિપ્રા ગણેશ.

આ સ્થળે પહેલા ગોતમ ગણેશજીનું મંદિર હતું જે જીર્ણ થઇ જતા અહી ક્ષિપ્રા ગણેશ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ માંડવ્યેશ્વરનાથ મહાદેવ અને પાવન સલીલા માં નર્મદાનું પણ અહી મંદિર આવેલું છે ત્યારે ભક્તોની અનન્ય આસ્થા આ સ્થળ સાથે જોડાયેલી છે.

Next Story