Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કોરોના વિડીયો અને ફોટોગ્રાફરોને પણ ભરખી ગયો, મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ 

ફોટો અને વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે કાર્યક્રમ, મૃતકોના પરિવારને સથવારો આપવાની ખાતરી.

X

ભરૂચમાં કોરોનાના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે જેમાં ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોનો પણ સમાવેશ થાય છે. શહેરમાં કાર્યરત ફોટો અને વિડીયો ગ્રાફર એસોસીએશન તરફથી મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.

ભરૂચ જિલ્લાના છ થી વધુ ફોટોગ્રાફરોએ કોરોના કાળ દરમ્યાન જીવ ગુમાવ્યાં છે.ભરૂચ ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર એસોસિએશનના ઉપક્રમે મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગ્રીનરી હોટલ ખાતે યોજાયો હતો. જેમાં મૃતક ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરોના સ્વજનોની પડતી મુશ્કેલીમાં એસોસિએશન આગળ આવી શકય તમામ સહાય કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સંસ્થાના હોદેદારોએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે તમામ લોકોએ તકેદારીના પગલાં ભરવા જોઇએ. કોરોનાના કારણે અમે અમાર છ સાથી સભ્યોને ગુમાવી ચુકયાં છે. તેમના પરિવારને અમારા તરફથી શકય તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

Next Story