Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય કક્ષાએ રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો પર ખરાં ઉતરતાં ભાવનગરના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS) પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય કક્ષાએ રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો પર ખરાં ઉતરતાં ભાવનગરના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
X

જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS) પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ માટે ભાવનગર જિલ્લામાંથી દડવા, સણોસરા અને રતનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે રાષ્ટ્રીય કક્ષાના NQAS એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવી છે.

જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારના NQAS પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ સાથે હવે ભાવનગર જિલ્લામાં કુલ ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય કક્ષાના NATIONAL QUALITY ASSURANCE STANDARDS ના પ્રમાણપત્ર ધરાવતો જિલ્લો બન્યો છે, તે ભાવનગર જિલ્લા માટે ગૌરવપ્રદ ઘટના છે.

ભાવનગરની યશકલગીમાં આ રીતે વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું છે. રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિભાગો જેવાં કે, બહારના દર્દીઓનો વિભાગ, અંદરના દર્દીઓનો વિભાગ, લેબોરેટરી, પ્રસૂતિ વિભાગ, સામાન્ય વહીવટ અને રાષ્રીરીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું વિવિધ આયામો અંતર્ગત ૨-૨ દિવસ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જિલ્લામાં આરોગ્યની સ્થિતિ વધુ બહેતર બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા પ્રયત્નશીલ છે. તેમની પ્રેરણા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.તાવીયાડના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારી ડૉ. બી.પી.બોરીચાની સીધી દેખરેખ હેઠળ વર્ષ-૨૦૨૧માં કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા ઉમરાળા તાલુકામાં દડવા, શિહોર તાલુકામાં સણોસરા અને વલ્લભીપુર તાલુકામાં રતનપર (ગા) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા ધોરણોમાં આ આરોગ્ય કેન્દ્રોને પ્રમાણપત્રિત કરવામાં આવ્યા છે.

Next Story