-
ભાવનગર-ધોલેરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
-
2 કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં 4 લોકોના મોત
-
ગમખ્વાર અકસ્માતમાં બન્ને કારનો બૂકડો બોલી ગયો
-
પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ આદરી
-
છેલ્લા 13 દિવસમાં 9 લોકોને કાળ ભરખી ગયો
ભાવનગર-ધોલેરા હાઇવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા.
ગત તા. 12મે-2025ના રોજ ભાવનગર-ધોલેરા હાઇવે પર 2 કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક બાળક સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજરોજ ભાવનગર-ધોલેરા હાઇવે પર વધુ એક અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. 2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.
બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હતા, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર-ધોલેરા હાઇવે માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.