ભાવનગર-ધોલેરા હાઈવે પર 2 કાર વચ્ચેની ભયંકર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત…

2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા

New Update
  • ભાવનગર-ધોલેરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

  • 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં 4 લોકોના મોત

  • ગમખ્વાર અકસ્માતમાં બન્ને કારનો બૂકડો બોલી ગયો

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ આદરી

  • છેલ્લા 13 દિવસમાં 9 લોકોને કાળ ભરખી ગયો

ભાવનગર-ધોલેરા હાઇવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોતજ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા.

ગત તા. 12મે-2025ના રોજ ભાવનગર-ધોલેરા હાઇવે પર 2 કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક બાળક સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજરોજ ભાવનગર-ધોલેરા હાઇવે પર વધુ એક અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. 2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોતજ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કેબન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હતાજ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેભાવનગર-ધોલેરા હાઇવે માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Read the Next Article

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા

New Update
  • સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી

  • ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન

  • વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ

  • ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા

  • રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત  22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.

 અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડીહીપાવડલીમેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને  ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.

સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબાપીપરડીફીફાદમેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. DAP ખાતરબિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં  જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને  ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.