જૂનાગઢના ખલીલપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત

જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ  લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

New Update

જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ  લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

જૂનાગઢના ખલીલપુર રોડને અડીને આવેલ કૈલાશ પાર્ટી પ્લોટ ખાતેની વેલ્ડીંગની દુકાન પર સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું,જોકે આ રાષ્ટ્રભક્તિની ઉજવણીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.વેલ્ડીંગની દુકાન ધરાવતા હનીફ સીડાના દુકાન પર સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સમયે પોલ વીજ વાયરને અડી જતાં કરંટ પાસ થયો હતો,જેના કારણે હનીફ સીડાને વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો,અને વીજ કરંટના કારણે તેઓનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને મૃતક હનીફ સીડાના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.     
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.