તાપી : ઈકો અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, જુઓ કારમાં ફસાયેલા ચાલકનું “LIVE” રેસક્યું...

વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો

New Update
  • વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • ઈકો અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

  • કાર ચાલક કારમાં ફસાઈ જતાં રેસક્યું હાથ ધરવામાં આવ્યું

  • કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો

  • અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ આદરી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારનો ચાલક કારમાં ફસાઈ જતાં કટર મશીનની મદદથી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસારતાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કેઈકો કારનો ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતાજ્યારે કટર મશીનની મદદથી કારમાં ફસાયેલા ચાલકનું રેસક્યું હાથ ધરાયું હતું.

ભારે જહેમત બાદ કારનું પતરું કાપીને કાર ચાલકને દ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકેત્યારબાદ ઇજાગ્રસ્ત કાર ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફઅકસ્માતના પગલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Read the Next Article

પંચમહાલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વાહન પાર્કિંગના નામે ભક્તો બની રહ્યા છે ઉઘાડી લૂંટનો ભોગ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિ-રવિ રજાના દિવસે ભક્તોનો ઘસારો જોવા મળે છે,લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
  • પાવાગઢ આવતા ભક્તોમાં નારાજગી

  • શનિ રવિવારે ભક્તોની જામે છે ભીડ

  • પાર્કિંગના નામે ભક્તો સાથે ઉઘાડી લૂંટ

  • સરકારી જમીનમાં કાર પાર્કિંગની ઉઘરાણી

  • અધિકૃત રસીદ વગર રૂ.100ની કરાય છે વસૂલી    

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિ-રવિ રજાના દિવસે ભક્તોનો ઘસારો જોવા મળે છે,લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડા પૂર ઉમટે છે,અને ખાસ કરીને જ્યારે વાર તહેવારે કે શનિ રવિવારની રજાઓમાં મહાકાળી માતાના દર્શને આવતા ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળે છે.જોકે આ દિવસોમાં સરકારી જગ્યામાં કાર પાર્ક કરતા ભક્તો પાર્કિંગના નામે લૂંટાય રહ્યા છે.ભક્તો પાસે કાર પાર્કિંગના નામે 100 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે.અને જેની કોઈ અધિકૃત રસીદ પણ આપવામાં આવી નથી.આ અંગે એક ભક્તે રોષ વ્યક્ત કર્યો હતો.