Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 55 કેસ નોધાયા, 151 દર્દીઑ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાવાયરસના નવા 55 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 151 ર્દીઓ સાજા થયા છે

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 55 કેસ નોધાયા, 151 દર્દીઑ થયા સાજા
X

રાજ્યમાં આજે કોરોનાવાયરસના નવા 55 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 151 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે બે દર્દીના મોત થયા છે. આજે રાજ્યના 22 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.

અમદાવાદમાં શહેરમાં 25 કેસ, વડોદરા શહેરમાં 07 કેસ, ગાંધીનગર શહેરમાં 03, વડોદરામાં 03, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, રાજકોટમાં 02, રાજકોટ શહેરમાં 02, તાપીમાં 02, અમદાવાદ, બનાસકાંઠા, ડાંગ, મહેસાણા, પંચમહાલ, સુરત, સુરત કોર્પોરેશમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં હવે ફક્ત 816 એક્ટિવ કેસ છે, 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે કુલ 711 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,11,706. રાજયમાં 10938 મૃત્યુ થયા છે, રાજ્યનો રિકવરી રેટ 99.05 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,15,155 દર્દીઓનું રસીકરણ થયું છે. આજે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાંથી 72 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે

Next Story