Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 572 નવા કેસ નોધાયા, 489 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સતત બે દિવસ ઘટાડો થયો હતો, તો આજે 5 જુલાઈએ ફરીથી નવા કેસોમાં આંશિક વધારો થયો છે. રાજ્યમાં આજે નવા 572 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાના 572 નવા કેસ નોધાયા, 489 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સતત બે દિવસ ઘટાડો થયો હતો, તો આજે 5 જુલાઈએ ફરીથી નવા કેસોમાં આંશિક વધારો થયો છે. રાજ્યમાં આજે નવા 572 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા 572 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 249, સુરત શહેરમાં 82, વડોદરા શહેરમાં 41, ભાવનગર શહેરમાં 22, રાજકોટ શહેરમાં 21, જામનગર શહેરમાં 13 અને ગાંધીનગર શહેરમાં 9 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, વલસાડમાં 18, નવસારીમાં 16, કચ્છ અને સુરતમાં 12-12, મોરબીમાં 9, અમદાવાદ, ભરુચ અને પાટણમાં 8-8 કેસ, ગાંધીનગર, મહેસાણામાં 7-7 કેસ, રાજકોટમાં 5 કેસ, આણંદ અને ખેડામાં 4-4, અમરેલી અને પોરબંદરમાં 3-3, બનાસકાંઠા, ગીરસોમનાથ અને તાપીમાં 2-2 કેસ, જામનગર, જૂનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 489 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,20,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ઘટીને 3595 થયા છે, જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જયારે 3594 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક 10,948 છે.

Next Story