જૂનાગઢ: આર્મી જવાન પતિ શહીદ થયા બાદ દેશ સેવાના સંકલ્પ સાથે આર્મીમાં જોડાઈને  પતિનું સ્વપ્ન પૂરું કરતી પત્ની

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની કોમલ મક્કાએ પોતાના આર્મી જવાન પતિના અવસાન બાદ પત્નીએ દૃઢ સંકલ્પ કર્યો હતો,અને તનતોડ મહેનત કરીને પેરામિલિટરી ફોર્સમાં જોડાઈને દેશ સેવા સાથે પતિના અધૂરા સપનાને પૂર્ણ કર્યું છે. 

New Update
  • જૂનાગઢના શહીદ આર્મીજવાન પતિની પત્નીનોદ્રઢ સંકલ્પ

  • પત્નીએ પતિના અધૂરા સપના પૂરા કરવાનો કર્યો સંકલ્પ

  • પત્ની પણ જોડાઈ પેરામિલિટરીફોર્સમાં

  • તનતોડ મહેનત અને કઠણતાલીમ લઈને મેળવ્યું આર્મીમાં સ્થાન

  • પતિના માર્ગે પગલા ભરતી પત્નીને મળ્યુલખનૌમાંપોસ્ટિં

Advertisment

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની કોમલ મક્કાએ પોતાના આર્મી જવાન પતિના અવસાન બાદ પત્નીએ દૃઢ સંકલ્પ કર્યો હતો,અને તનતોડ મહેનત કરીને પેરામિલિટરી ફોર્સમાં જોડાઈને દેશ સેવા સાથે પતિના અધૂરાસપનાનેપૂર્ણ કર્યું છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો હતો.અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલમક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કરેણીગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા.મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા.પરંતુ બે વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા પડી ગયા હતા. જોકે આ સમય દરમિયાન પેરામિલિટરી ફોર્સ માંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનો માંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ લેટર કોમલ મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

જ્યારે કોમલબેન મકકાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરીફોર્સમાં જવાનો નિર્ણય લીધો ત્યારેતેમના સાસરિયાઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા,પરંતુ દૃઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલેટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈને પોતાના પાંચ વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી.અને ઘણી બધી મુશ્કેલીઓનેપાર કરી હતી.પરંતુ એક જ નિર્ધાર હતો કે પોતાના પતિ મહેશસિંહનુંસ્વપ્નુંપૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા.પતિના અકાળે થયેલા અવસાનનું દુઃખ તો હૃદયમાં દબાવીને જકોમલે રાખ્યું છે પરંતુ દેશ સેવાના સંકલ્પ અને પતિના અધૂરાસપનાનેપૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પથીઆજેકોમલને નવા જીવનની શરૂઆત સાથે નોમાર્ગ પણ મળી ગયો છે.

Read the Next Article

ભાવનગર : પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને કરાવ્યો મુક્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.

New Update
  • પાલીતાણા પોલીસનો દેવદૂત અવતાર

  • વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત

  • 3.50 લાખના ઘરેણાં અપાવ્યા પરત

  • રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,

  • પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલ્યો

Advertisment

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા,અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈજે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છેતેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમા કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી.દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા.છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી.

આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો. પાલીતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે.