સાબરકાંઠા : પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકના શરીરના 2 ટુકડા થયા...

રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.

New Update
  • પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • માર્બલ ભરેલા ટ્રક સાથે સિમેન્ટ ભરેલ એક ટેન્કર અથડાયું

  • અકસ્માતમાં 25 વર્ષીય ચાલકના શરીરના 2 ટુકડા થયા

  • અકસ્માતમાં અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માર્બલ ભરેલા ટ્રક સાથે સિમેન્ટ ભરેલ ટેન્કર અથડાતાં ગમખ્વાર અકસ્માતમાં 25 વર્ષીય ચાલકના શરીરના 2 ટુકડા થયા હતા. મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 25 વર્ષીય ટેન્કર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.

રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી બન્ને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્ત ટ્રક ચાલક હીરાલાલ રબારીને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે