સાબરકાંઠા : પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકના શરીરના 2 ટુકડા થયા...

રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.

New Update
  • પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • માર્બલ ભરેલા ટ્રક સાથે સિમેન્ટ ભરેલ એક ટેન્કર અથડાયું

  • અકસ્માતમાં 25 વર્ષીય ચાલકના શરીરના 2 ટુકડા થયા

  • અકસ્માતમાં અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માર્બલ ભરેલા ટ્રક સાથે સિમેન્ટ ભરેલ ટેન્કર અથડાતાં ગમખ્વાર અકસ્માતમાં 25 વર્ષીય ચાલકના શરીરના 2 ટુકડા થયા હતા. મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 25 વર્ષીય ટેન્કર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.

રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી બન્ને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્ત ટ્રક ચાલક હીરાલાલ રબારીને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે.

New Update
1749726703_new-project-8

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. તો સાંજે 4થી 5 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ  સોમવાર, 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

  • સવારે11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.