અમદાવાદ : ધોલેરા-ભાવનગર હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત...

ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 લોકોને કાળ ભરખી ગયો

New Update
  • ભાવનગર-ધોલેરા હાઇવે પર સાંઢીડા ગામ નજીકની ઘટના

  • હાઇવે માર્ગ પર 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • અકસ્માતમાં 5 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં

  • 4 લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

  • પોલીસે અકસ્માતે 5 લોકોના મોત નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા ગામ નજીક 2 કાર વચ્ચેની ભયંકર ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષ સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

મળતી માહિતી અનુસારઅમદાવાદના ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 લોકોના મૃત્યુ થયા છે. પ્રાથમિક માહિતી અનુસારસ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનુંજ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફપોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ગોરધન ડોબરીયાઅશોક ડોબરીયાગૌરવ ડોબરીયાતીર્થ ડોબરીયા અને દિશા પ્રબતાણીનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.