Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : કોરોના સામે લડવા સરકારે સજાવ્યાં હથિયાર, વેકસીનેશન બનાવાયું ઝડપી

18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.

X

કોરોનાની બીજી લહેરમાં ફેલાયેલી અરાજકતાએ કેન્દ્ર સરકારની છબી ખરાબ કરી નાંખી છે. આ છબીને સુધારવા કેન્દ્ર સરકાર હવે રસીકરણ પર ધ્યાન આપી રહી છે. સોમવારે વિશ્વ યોગ દિવસના નિમિત્તે રાજયભરમાં 18 વર્ષથી કે તેથી વધુ ઉમંરના લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી રસી આપવામાં આવી હતી. અમદાવાદના બોડકદેવમાં આવેલાં રસીકરણ કેન્દ્રની ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત લીધી હતી.

દેશમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોના મૃત્યુ થયાં છે ત્યારે કેન્દ્ર સરકારની છબી વિશ્વભરમાં ખરડાઇ છે. આ છબીને સુધારવાના ભાગરૂપે વિશ્વ યોગ દિવસથી લોકોને વિનામુલ્યે રસી તથા 18 વર્ષથી ઉપરના લોકોને રજીસ્ટ્રેશન વિના રસી આપવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને સ્લોટ નહિ મળવાના કારણે તેઓ રસી મુકાવી શકતા ન હતાં. હવે 18થી 44 સુધીની વય ધરાવતાં લોકો હવે કોવિન એપ્લિકેશન કે વેબસાઇટ પર નોંધણી કરાવ્યા વગર સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને વેક્સીન લઈ શકશે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક હજાર કરતાં વધારે કેન્દ્રો પર રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના બોડકદેવના વેક્સિનેશન સેન્ટર પર દેશના ગૃહમંત્રી અમિત શાહે આ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

Next Story