સાબરકાંઠા: અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ, મુસ્લિમ મહિલા પણ આપે છે સેવા !

ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે

New Update

બોલ માડી અંબે જય જગદંબે

અંબાજી જતા શ્રધ્ધાળુઓ માટે સેવા કેમ્પ

સાબરકાંઠા જિલ્લામાં સેવા કેમ્પ શરૂ કરાયો

અમદાવાદના સ્વયં સેવક દ્વારા સેવા કેમ્પનું આયોજન

મુસ્લિમ મહિલા પણ આપે છે સેવા

ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અંબાજી માતા અને બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સ્થાનિકોની સાથે સાથે અન્ય જિલ્લામાંથી આવીને વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા માઈભક્તો પણ સામેલ છે. આવા જ એક માઈભક્ત છે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેલા  અતુલભાઈ પટેલ. જેઓ વર્ષ 2001થી યથાશક્તિ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. શરૂઆતમાં તેઓએ માલીશની સેવાથી શરૂઆત કરી હતી બાદમાં ધીમે ધીમે કેમ્પમાં 24 કલાક ભોજન, નાસ્તો, ચા, પાણી જેવી સુવિધાઓ પદયાત્રીઓ માટે શરૂ કરી છે.આ કેમ્પ ભાદરવા સુદ અગિયારસના દિવસ સુધી 24 કલાક ધમધમે છે. તેમની સાથે અમદાવાદથી ખાસ સેવા આપવા આવેલા 160થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહે છે. જેમાં મોટાભાગના સ્વયંસેવક 50 વર્ષથી વધુ વયના છે. ખાસ વાત એ પણ છે કે જે પણ સ્વયં સેવકો અહી સેવા બજાવે છે તે તમામ માટે અતુલભાઈએ વીમાની પણ વ્યવસ્થા કરી છે જેથી અણધારી આફતના સમયે વીમા સુરક્ષા કવચ મળી રહે. આ કેમ્પના સ્વયંસેવકોમાં એક મુસ્લિમ મહિલા બધાથી અલગ તરી આવે છે. મુસ્લિમ અને વૃદ્ધ હોવા છત્તા પણ તેઓ છેલ્લા 30 વર્ષોથી પદયાત્રીઓની સેવામાં હોંશેહોંશે સામેલ થાય છે. 60 વર્ષ પાર કરી ચૂકેલા બીબીબેન પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વિના પદયાત્રીઓની થાક ઉતારવા માટે માલીશની સેવા કરે છે. જે સાચાઅર્થમાં કોમી એક્તા અને નિસ્વાર્થ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે
Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.