/connect-gujarat/media/media_files/2025/01/16/5GjyRuhzeAZ4oxc81vZk.png)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં રૂપિયા 298 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આર્કિયોલોજી એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર છે વડનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર વડનગર નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ થયું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેકટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રવાસીઓને 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. આજે મ્યુઝિયમ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
રૂપિયા 298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલુ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું.આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મ્યુઝિયમમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો, વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ થિમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.રૂપિયા 72 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે.