અમરેલી : માર્કેટિંગ યાર્ડના ગોડાઉનમાં 5 શ્રમિકો પર ઘઉંની ગુણીઓનો જથ્થો પડ્યો, એક શ્રમિકનું મોત નીપજ્યું...

અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા.

New Update

અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતુંજ્યારે અન્ય 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારઅમરેલી નવા માર્કેટીંગ યાર્ડમાં બનેલી ઘટના અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટીંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં ગત શનિવારે 5 જેટલા શ્રમિકો ઘઉઁની ગુણીઓ ખાલી કરી રહ્યા હતાત્યારે તેમની આસપાસ ઘઉંની સેંકડો ગુણીઓના થપ્પા લાગેલા હતા. જેમાંથી એક થપ્પો આંખના પલકારામાં શ્રમિકો પર ધસી પડ્યો હતો. શ્રમિકો કંઈ સમજે તે પહેલા જ 500 જેટલી વજનદાર ગુણીઓ તેમની માથે પડતા પાંચેય શ્રમિકો દબાયા હતા. અકસ્માતના પગલે અન્ય શ્રમિકો અને ગોડાઉન માલિકમાં દોડધામ મચી હતી. આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ કનક નામના 30 વર્ષીય શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતુંજ્યારે જયંતી ભેસાણીયાભાલા ગોહિલધનસુખ ભેસાણીયા અને નટુ ભાલુ નામના શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 4 પૈકી 3 શ્રમિકોને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે2 દિવસ પહેલા બનેલી આ ઘટનાના હચમચાવી નાખતાCCTV ફૂટેજ સામે આવ્યા છેત્યારે હાલ તો પોલીસે અકસ્માતે એક શ્રમિકનું મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.