અમરેલી: રાંઢીયા ગામે એક જ પરિવારના ચાર બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી રહસ્યમય મોતથી અરેરાટી વ્યાપી

અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા.

New Update

અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના પરિવારના ચાર માસૂમ બાળકો વાડી પાસે પાર્ક કરેલી કારમાં રમવા માટે ગયા હતા,જોકે કારનો દરવાજો લોક થઇ ગયા બાદ બાળકો લોક ખોલી શક્યા નહતા.જેના કારણે ચાર માસુમ જિંદગીનો શ્વાસ રૂંધાય જવાના કારણે ચારેય બાળકો કરુણ મોતને ભેટ્યા હતા,જેમાં બે બહેન અને બે ભાઈની જિંદગી ગૂંગળાઈ ગઈ હતી.
બનાવની જાણ થતા જ મૃતક બાળકોના પરિવારજનો અને વાડીના માલિક ભરત માંડાણી દોડી આવ્યા હતા,અને પોલીસને જાણ કરવામાં આવી હતી,પોલીસે મૃતક બાળકોના મૃતદેહનો કબજો મેળવીને FSL પોસ્ટમોર્ટમ અને વિસેરાના નમૂના લઈને જરૂરી તપાસ શરૂ કરી હતી.હાલમાં ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.  
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.