દાંતીવાડાના સીપુ ડેમ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત, બે ના કરુણ મોત

બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.

New Update
  • દાંતીવાડાના સીપુ ડેમ નજીક સર્જાયો અકસ્માત

  • ટ્રેકટર પાછળ ટ્રેલર ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો

  • બે પિતરાઈ ભાઈઓ કાળનો કોળિયો બન્યા

  • બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જતા સર્જાયો અકસ્માત

  • વાછોલ ગામમાં સર્જાયો માતમનો માહોલ   

બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા. કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકવા જતી વેળાએ માર્ગમાં ભાઈઓને કાળ ભરખી ગયો હતો.

બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂત પિતરાઈ ભાઈઓ બટાકા ટ્રેકટરમાં ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે જતા હતા,તે દરમિયાન દાંતીવાડાના સીપુ ડેમ નજીક તેઓના ટ્રેકટરને એક બેલગામ ટ્રેલર ચાલકે પાછળથી ધડાકાભેર અથડાયું હતું,અને સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રેકટરમાં ભરેલા બટાકા માર્ગ પર વિખેરાય ગયા હતા,અને ભારે ટ્રાફિકજામ પણ સર્જાય ગયો હતો.

ઘટના અંગેની જાણ ડીસા રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવીને તપાસ શરૂ કરી હતી,અને અકસ્માતમાં મોતને ભેટનાર ભાઈઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા,તેમજ માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. વાછોલ ગામમાં ઘટનાની જાણ થતા જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Read the Next Article

સુરેન્દ્રનગર : વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના પ્રયાસરૂપે “હેરિટેજ વોક” યોજાય...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા આયોજન

  • ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં આયોજન થયું

  • શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું

  • વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાનો પ્રયાસ

  • હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વોક વઢવાણના ઐતિહાસિક હવામહેલથી શરૂ થઈ માધાવાવ સુધી પહોંચી હતીજેમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. આ માર્ગમાં રાણી કુંવરબાનું રાણકદેવી મંદિરકોટ વિસ્તારખાંડીપોળ જેવા ઐતિહાસિક સ્થળોએ થઈ માધાવાવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતુંજ્યાં દિવડા પ્રગટાવીને વાવને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતોજેણે શ્રદ્ધા અને સંસ્કૃતિના મોજાં ઉભા કર્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.