બનાસકાંઠા : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભોજનનો વિવાદ, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, 

New Update

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મચ્યો હોબાળો

આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં નીકળતી જીવાત

અવારનવાર જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરાય

મામલો ગરમાતા પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છેત્યારે અવારનવાર જીવજંતુઓ નીકળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

Advertisment

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ગત તા. 22મી સપ્ટેમ્બર-2024ના રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો જોવા મળ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતીતેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં આવાર-નવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથીત્યારે ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.

જોકેહોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અનેNSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.