બનાસકાંઠા : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભોજનનો વિવાદ, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, 

New Update

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મચ્યો હોબાળો

આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં નીકળતી જીવાત

અવારનવાર જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરાય

મામલો ગરમાતા પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છેત્યારે અવારનવાર જીવજંતુઓ નીકળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ગત તા. 22મી સપ્ટેમ્બર-2024ના રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો જોવા મળ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતીતેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં આવાર-નવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથીત્યારે ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.

જોકેહોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

 

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.