બનાસકાંઠા : થરાદ જિલ્લો જાહેર થતાં કાંકરેજ તાલુકામાં સજ્જડ બંધ, જુઓ શું કહી રહ્યા છે વેપારી-ખેડૂતો...

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

New Update
  • થરાદ જિલ્લો જાહેર થતાં જ શિહોરીમાં સજ્જડ બંધનું એલાન

  • વેપારીઓ સહિત ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું

  • કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો : સ્થાનિક

  • થરાદમાં તો નહીં જ ચાલે'ની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા

  • આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન-ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિભાજનના નિર્ણયને લઈને આજે કાંકરેજ તાલુકાના તમામ વ્યાપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કેકાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવેજે વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લામાં તેમને મુકવામાં આવ્યા છેતેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. વધુમાં તેમનું કહેવું છે કેતેમને પાલનપુર સીધું અને સરળ પડે છેત્યારે વાવ-થરાદ તેમના માટે અટપટું રહે છેઅને લાંબુ અંતર રહે છે. જેથી તેઓને પાલનપુરમાં જ રહેવું છેઅને વાવ-થરાદ જિલ્લામાં જવું નથી. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.