બનાસકાંઠા : થરાદ જિલ્લો જાહેર થતાં કાંકરેજ તાલુકામાં સજ્જડ બંધ, જુઓ શું કહી રહ્યા છે વેપારી-ખેડૂતો...

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

New Update
  • થરાદ જિલ્લો જાહેર થતાં જ શિહોરીમાં સજ્જડ બંધનું એલાન

  • વેપારીઓ સહિત ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું

  • કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો : સ્થાનિક

  • થરાદમાં તો નહીં જ ચાલે'ની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા

  • આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન-ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

Advertisment

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિભાજનના નિર્ણયને લઈને આજે કાંકરેજ તાલુકાના તમામ વ્યાપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કેકાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવેજે વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લામાં તેમને મુકવામાં આવ્યા છેતેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. વધુમાં તેમનું કહેવું છે કેતેમને પાલનપુર સીધું અને સરળ પડે છેત્યારે વાવ-થરાદ તેમના માટે અટપટું રહે છેઅને લાંબુ અંતર રહે છે. જેથી તેઓને પાલનપુરમાં જ રહેવું છેઅને વાવ-થરાદ જિલ્લામાં જવું નથી. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment