ભરૂચ: વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ !

ભરૂચના ઝાડેશ્વર ગામના વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ. શોશ્યલ મીડિયા પર ઉડયા ધજાગરા

New Update
ભરૂચ: વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ !

કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે તો બીજી તરફ વેકસીનેશન પૂરજોશમાં ચાલી રહયું છે પરંતુ વેકસીનેશન સેન્ટરો પર જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આવેલ વેકસીનેશન સેન્ટર પર વેક્સિન લેવા શોશ્યલ ડિસ્ટન્સના જાણે ધજાગરા ઊડ્યા હતા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનેશનના મહાઅભિયાન અંતર્ગત તમામ લોકો સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે ભરૂચ અને આસપાસના ગામોમાં 50થી વધુ સેન્ટરો ચાલી રહ્યાં છે, જેથી તમામ લોકોને ઝડપી વેક્સિન મળી રહે, પરંતુ આ વેક્સિનેશન કેમ્પના આયોજનના અભાવને કારણે લોકોની બેદરકારી સામે આવી છે.

લોકો જાણે એ રીતે ભીડમાં ઊમટયા છે કે તેમને કોરોના સંક્રમણ ફેલાય એનો ડર જ નથી. આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા. લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી. ભરૂચના ઝાડેશ્વર ગામમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વેકસીનેશન સેન્ટર પર લોકોની ભીડ જામતી અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે એ જરૂરી છે.

Read the Next Article

ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરાઇ આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે.  આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

ગત સોમવારે મેધરાતાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ હતી. સવાર 8 વાગ્યાથી સાંજે 5 સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી જતાં  સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળા કોલેજના કેમ્પસ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે  રજા જાહેર કરી દેવાઇ હતી.  સુરત શહેરના તમામ વિસ્તારમાં  ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા.  સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલા માલ સમાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા બ્લોક થઇ હતા.