અંકલેશ્વર: બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયા પૂર્ણ, શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વર તાલુકામાં આવેલું છે બાકરોલ ગામ

  • બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયાં પૂર્ણ

  • સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો

  • રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત

  • વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમા રાજયના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલ, મામલતદાર કે.એન.રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડે. સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું? તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.