New Update
-
અંકલેશ્વર તાલુકામાં આવેલું છે બાકરોલ ગામ
-
બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયાં પૂર્ણ
-
સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો
-
રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત
-
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમા રાજયના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલ, મામલતદાર કે.એન.રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડે. સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું? તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો
Latest Stories