અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે  હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 

New Update
  • અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામ

  • નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ

  • 5 કી.મી.સુધી વાહનોની કતાર

  • અનેક વાહનચાલકો અટવાયા

  • બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 
ભરુચ જીલ્લામાં વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળુ સાંકડુ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.
Latest Stories