અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વર નજીક ફરી એકવાર સર્જાયો અકસ્માત

  • હાઇવે પર પાનોલી નજીક અકસ્માતનો બનાવ

  • કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જયો

  • બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત

  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

Advertisment
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. નેશનલ હાઇવે પર પાનોલી નજીક આવેલ મીના હોટલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેઓને 108 એમબ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાર ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment