અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વર નજીક ફરી એકવાર સર્જાયો અકસ્માત

  • હાઇવે પર પાનોલી નજીક અકસ્માતનો બનાવ

  • કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જયો

  • બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત

  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. નેશનલ હાઇવે પર પાનોલી નજીક આવેલ મીના હોટલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેઓને 108 એમબ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાર ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું