New Update
અંકલેશ્વર નજીક નર્મદા મૈયા બ્રિજ નીચેનો બનાવ
કીચડમાંથી નવજાત શિશુનો મળ્યો મૃતદેહ
સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમને કરાય જાણ
મૃતદેહને કિચડમાંથી બહાર કઢાયો
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજની નીચે કિચનમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. નદીમાં કિચડમાં ફસાયેલ મૃતદેહ સ્થાનિકોએ જોતા આ અંગે તેઓએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કીચડમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. કોઈ નિષ્ઠુર જનેતાએ તેનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Latest Stories