અંકલેશ્વર: નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો 3 દિવસ બાદ મૃતદેહ મળ્યો, મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.

New Update
  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બન્યો હતો બનાવ

  • મહિલાએ નદીમાં લગાવી હતી મોતની છલાંગ

  • 3 દિવસ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

  • મૃતક મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલા સુરતના અડાજણ વિસ્તારની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ બપોરના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી સ્થાનિક નાવિકોએ  આ દ્રશ્યો જોતા મહિલાની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે નજીકથી એક પર્સ મળી આવ્યું હતું જેમાં સુરતના માંડવીથી ભરૂચની એસ.ટી. બસની ટિકિટ પણ મળી આવી હતી.ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે સતત 72 કલાક સુધી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ આજરોજ બપોરના સમયે મહિલાનો મૃતદેહ નર્મદા નદીમાંથી ભરૂચ તરફ આવેલ ગુરુદ્વારા નજીકથી મળી આવ્યો હતો.
આ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા.મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી કીર્તિ જયંતકુમાર પારેખ હોવાનું સામે આવ્યું છે અને ઘર કંકાસમાં તેણે અંતિમવાદી પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફ્લો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને ગડખોલ પી.એસ.સી. સેન્ટર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment