અંકલેશ્વર: નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો 3 દિવસ બાદ મૃતદેહ મળ્યો, મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.

New Update
  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બન્યો હતો બનાવ

  • મહિલાએ નદીમાં લગાવી હતી મોતની છલાંગ

  • 3 દિવસ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

  • મૃતક મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલા સુરતના અડાજણ વિસ્તારની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ બપોરના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી સ્થાનિક નાવિકોએ  આ દ્રશ્યો જોતા મહિલાની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે નજીકથી એક પર્સ મળી આવ્યું હતું જેમાં સુરતના માંડવીથી ભરૂચની એસ.ટી. બસની ટિકિટ પણ મળી આવી હતી.ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે સતત 72 કલાક સુધી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ આજરોજ બપોરના સમયે મહિલાનો મૃતદેહ નર્મદા નદીમાંથી ભરૂચ તરફ આવેલ ગુરુદ્વારા નજીકથી મળી આવ્યો હતો.
આ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા.મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી કીર્તિ જયંતકુમાર પારેખ હોવાનું સામે આવ્યું છે અને ઘર કંકાસમાં તેણે અંતિમવાદી પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફ્લો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને ગડખોલ પી.એસ.સી. સેન્ટર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.