અંકલેશ્વર: GIDCમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય

અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ

  • રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ

  • આખરે તંત્ર હરકતમાં આવ્યું

  • રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા. ત્યારે  નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે.અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અટલજી જોગર્સ પાર્ક નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ઝુંવેશ દરમ્યાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.