અંકલેશ્વર: હાંસોટ પંથકમાં વહેલી સવારે મૌસમના બદલાયેલા મિજાજ, ગાઢ ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું

ભરૂચ જિલ્લામાં મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે.બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

New Update
vlcsnap-2025-04-14-09h01m29s945

ભરૂચ જિલ્લામાં મૌસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે.બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધૂમમ્સભર્યું વાતાવરણ નજરે પડ્યું હતું.

Advertisment

ધુમ્મસના કારણે વાહનચાલકોને  વાહન ચલાવવામાં મુશ્કેલી નડી હતી.થોડા દિવસ અગાઉ જંબુસર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે આ તરફ અંકલેશ્વર અને હાસોટ પંથકમાં ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.જેના કારણે ખેતીના પાકમાં નુકસાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છેમ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સવારના સમયે એકાએક જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂમમ્સભર્યા વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી જોકે સૂર્યનારાયણને દર્શન દીધા બાદ વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા..

New Update
  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો

  • એક દિવસમાં 170 નવા કેસ નોંધાયા

  • ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય

  • અત્યારસુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા

Advertisment W3.CSS
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજયમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના  717 એક્ટિવ કેસ છે અને  23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજજ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.