New Update
/connect-gujarat/media/media_files/2025/10/29/divaaa-2025-10-29-16-16-09.jpg)
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી. સરપંચ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.આ પાંજરામાં મગર કેદ થઈ ગયો હતો. જે અંગેની જાણ થતા જ મગરને જોવા લોકોના ટોળા ઉમટયા હતા. બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે
Latest Stories