અંકલેશ્વર: પંચાટી બજારમાં પરિવાર મકાન બંધ કરી લગ્નપ્રસંગમાં ગયું, તસ્કરોએ ત્રાટકી રૂ.1.50 લાખની મત્તાનો કર્યો હાથફેરો

અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • પંચાટી બજારમાં તસ્કરો ત્રાટકયા

  • બંધ મકાનને બનાવ્યું નિશાન

  • રૂ.1.50 લાખની મત્તાની ચોરી

  • એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર પંચાટી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 2 ઈસમો કેદ થયા હતા. છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સોસાયટીમાં આટા ફેરા કરતા હતા.આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ- અંકલેશ્વરમાંથી ફરી એકવાર 5 બાંગ્લાદેશી ઘુષણખોર ઝડપાયા, પોલીસે પૂછપરછ શરૂ કરી

પહેલગામમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે

New Update
bangladeshi
ભરૂચ અને અંકલેશ્વરમાંથી ફરી એકવાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસના સર્ચ ઓપરેશનમાં ભરૂચ અને અંકલેશ્વરમાંથી ચાર મહિલા સહિત પાંચ ઘૂસણખોરો ઝડપાયા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પાંચેય ઘુસણખોરોને ઝડપી પાડી તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં જરૂર જણાશે તો તેમને ડિપોટ કરવાની પણ કાર્યવાહી કરાશે.