અંકલેશ્વર: પંચાટી બજારમાં પરિવાર મકાન બંધ કરી લગ્નપ્રસંગમાં ગયું, તસ્કરોએ ત્રાટકી રૂ.1.50 લાખની મત્તાનો કર્યો હાથફેરો

અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • પંચાટી બજારમાં તસ્કરો ત્રાટકયા

  • બંધ મકાનને બનાવ્યું નિશાન

  • રૂ.1.50 લાખની મત્તાની ચોરી

  • એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

Advertisment W3.CSS
અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર પંચાટી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 2 ઈસમો કેદ થયા હતા. છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સોસાયટીમાં આટા ફેરા કરતા હતા.આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.