અંકલેશ્વર: NH 48 પર નોબલ માર્કેટમાં ફરી આગ લાગતા દોડધામ, ફરી એ જ સ્થળે લાગી આગ

અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

New Update
  • અંકલેશ્વરમાં ફરી આગનો બનાવ

  • નોબેલ માર્કેટમાં ફરી આગ લાગી

  • ફાયર ફાયટરો ઘટના સ્થળે

  • રસાયણિક કચરામાં આગ ફાટી નિકળી

  • સતત 3 દિવસથી આગના બનાવ યથાવત

Advertisment
અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે.સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રસાયણીક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા તો અગન જવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાયટર  તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ મનમાની કરતી હોવાના આક્ષેપ

  • ઊંચા ભાવે યુનિફોર્મ-નોટબુકના વેચાણના આક્ષેપ

  • કડક પગલા ભરવા કરાય માંગ

Advertisment
ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.
Advertisment