અંકલેશ્વર: સ્ક્રેપ માર્કેટમાં આગની વધતી ઘટના બાદ GPCB જાગ્યુ, હવે ઉદ્યોગો અને જમીન ભાડે આપનાર પર પણ થશે કાર્યવાહી !

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

New Update
  • અંકલેશ્વરમાં આગ લાગવાની ઘટનામાં વધારો

  • સ્ક્રેપ માર્કેટમાં વારંવાર બને છે આગના બનાવ

  • જીપીસીબી આવ્યું હરકતમાં

  • ગેરકાયદેસર રીતે સ્ક્રેપ નિકાલ કરનાર ઉદ્યોગો પર થશે કાર્યવાહી

  • ગોડાઉન માટે જમીન ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાશે

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ત્યારબાદ પણ સતત ત્રીજા દિવસે આ જ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે મોડે મોડે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે હરકતમાં આવ્યું છેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા જમીનના માલિકો સામે પણ ગુનો દાખલ કરાશે. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઉભા કરવામાં આવે છે જેની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે.ઉદ્યોગો પણ ઘણીવાર સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે જેને સ્ક્રેપ ગોડાઉનમાં રાખવામાં આવે છે અને આગ સહિતની વારંવાર ઘટનાઓ બને છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયાએ જણાવ્યું હતું કે  કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનોમાં અવારનવાર આગના બનાવો નોંધાયા છે, આ અંગે ઔધ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગો નો સંગ્રહ કરાય છે જેને કારણે પર્યાવરણને ભારે નુકશાન થાય છે.અનેક કિસ્સાઓમાં જમીનો ભાડે રાખીને ગેર કાયદેસર રીતે વેસ્ટ સંગ્રહ કરાય છે અને સમયાંતરે લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે.આ ઘટનાઓની રાજ્ય સ્તરે નોંધ લેવાતા GPCBએ કડક વલણ હાથ ધર્યું છે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.