અંકલેશ્વર: ફાર્મા એકમોમાં ઉદ્યોગ મંડળ દ્વારા જોબવર્ક કરતા કારખાનાઓ સામે કરશે તપાસ

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની આવકાર ડ્રગ્સ પ્રા.લી.માંથી 518 કિલો કોકેઇન મળી આવવાના મુદ્દે ઉદ્યોગ મંડળ પણ સક્રિય બન્યું છે,

New Update

અંકલેશ્વર કંપનીમાંથીડ્રગ્સ ઉત્પાદનનોમામલો

પોલીસે કર્યો518 કિલો કોકેઈનનો જથ્થો સીઝ

કંપનીમાં જીવન રક્ષકદવાનીઆડમાંથતું હતું ડ્રગ્સનું ઉત્પાદન

ડ્રગ્સની ઘટના બાદ ઉદ્યોગ મંડળ આવ્યું એક્શનમાં

જોબવર્ક કરતા ફાર્માઉદ્યોગમાં કરવામાં આવશે તપાસ

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેનીઆવકાર ડ્રગ્સ પ્રા.લી.માંથી 518 કિલો કોકેઇન મળી આવવાના મુદ્દે ઉદ્યોગ મંડળ પણ સક્રિય બન્યું છે,અને જોબવર્ક કરતા ફાર્માઉદ્યોગોમાં જરૂરી તપાસ કરવાની તૈયારી દર્શાવી છે.

દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્તઓપરેશન હાથ ધરીને અંક્લેશ્વરની આવકાર ફાર્માકંપની માંથી518 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું,જેની બજાર કિંમત રૂપિયા5000 કરોડ આંકવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબકંપનીમાં જીવનરક્ષક દવાઓ બનાવવા માટે ઈન્ટરમીડિએટપ્રકારના કેમિકલ બનાવવામાં આવતા હતા. દિલ્હીના ડ્રગ્સ કેસમાં ત્યાંથી મળેલુ518 કિલોકોકેઇન અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાં બન્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયોહતો. દિલ્હીથી આવકાર કંપનીને તેમની જરૂરિયાત મુજબ કેમિકલ બનાવી આપવાનોઓર્ડર આપ્યો હતો.518 કિલો કોકેઇન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યું હોવાનુંબહાર આવતા કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો.કંપનીમાં તપાસ દરમિયાન દિલ્હી મોકલવામાટે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યું હતું.આ ઘટના બાદઅંકલેશ્વર ઉદ્યોગ મંડળ પણ હવે જોબવર્કથી કેમિકલ બનાવી આપતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાનીતૈયારીઓ કરી રહ્યું છે.અને ઔદ્યોગિક વસાહત પર લાગી રહેલીકલંકિત ડ્રગ્સ ઉત્પાદનની કાળી ટીલ્લીને ભૂંસવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.